Flash Story
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક
બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

પોતાના મોટિવેશનલ સેશન દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ ‘મિશન ૨૦૪૭- ઈન્સપાયરિંગ યુથ ફોર અમૃતકાલ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે આઝાદીના અમૃત મહોત્સવ બાદ આઝાદીના સો વર્ષ ઉજવાય એ દરમિયાનની યાત્રામાં યુવાનોનો રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કેવો હોવો જોઈએ અને યુવાનોની ભૂમિકા શું હોવી જોઈએ એ વિશે સંવાદ સાધ્યો હતો. તેમણે યુવાનોને એમ પણ સલાહ આપી હતી કે તેમણે માત્ર ગ્રેજ્યુએટ્સ કે પ્રોફેશનલ્સ બનવાનું નથી, પરંતુ એક સારા નાગરિક બનીને ઉભરી આવવાનું છે, જેમના આચરણ અને વિઝનમાં પર્યાવરણ સંરક્ષણ પણ અગ્રક્રમે હોય.

આ વિશે વિરલ દેસાઈએ જણાવ્યું હતું, ‘આજના વિદ્યાર્થીઓ આવતીકાલના પુખ્ત નાગરિકો છે અને આ યુવાન નાગરિકોના કાર્યકાળમાં જ આપણો દેશ તેના આઝાદીના સો વર્ષ ઉજવશે. એનો અર્થ એ થયો કે આવનારી પેઢીને આપણે બધી રીતે અત્યંત સજ્જ અને સક્ષમ કરવી પડશે, જેથી આપણો દેશ પર વૈશ્વિક ફલક પર સક્ષમ થાય.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ પોતે પર્યાવરણ પ્રેમી તો છે જ, પરંતુ તેઓ સૌથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન વિજેતા ઉદ્યોગપતિ છે, જેઓ યુવાનો માટે હંમેશાં પ્રેરણા બની રહ્યાં છે.

Back To Top