Flash Story
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું
અમદાવાદના એલિટ્સ Green Panther Properties ONE ના અન્વીલિંગ પર સસ્ટેનેબલ લક્ઝરીની ઉજવણી માટે થયા એકત્રિત
મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક

પનઘટ તેના ભવ્ય સ્ટોર ઓપનિંગ સાથે સુરતમાં તેનો સમૃદ્ધ વારસો અને ઉત્કૃષ્ટ ફેશન લાવે છે

પનઘટનો સુરત સ્ટોર: ભારતીય એથનિક લાલિત્ય ધરાવતો 18,000 ચો. ફૂટમાં પથરાયેલો ભવ્ય સ્ટોર

સુરત (ગુજરાત) [ભારત], 18 સપ્ટેમ્બર: ઉત્કૃષ્ટ ભારતીય એથનિક વેર અને સમૃદ્ધ વારસો ધરાવતી કોલકાતા સ્થિત પ્રતિષ્ઠિત બ્રાન્ડ પનઘટ 16 સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતમાં સુરત ખાતે તેના સૌથી નવા સ્ટોરના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરે છે. માલિની અગ્રવાલ, શેરીન લવ બગ, ત્રિશાલા લવ બગ, પ્રભાત ચૌધરી અને સાહિલ સલાથિયા જેવા મુંબઈના જાણીતા ઇન્ફ્લુએન્સર્સની હાજરી સાથે આ કાર્યક્રમ એક અસાધારણ ઈવેન્ટ બની રહી હતી. 

આ કાર્યક્રમમાં વૃષાલી વછિયાત, હિરલ માલકિયા, સિદ્ધિ મહેતા, સની પરમાર, મિતેશ પટેલ, સેજલ સાવલિયા, નીતિન ચાવડા, કોમલ વોરા, યાશિકા કોઠારી સહિતના સુરતના જાણીતા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરની મધ્યમાં આવેલો આ ભવ્ય 18,000-સ્ક્વેર-ફૂટ સ્ટુડિયો, ચાર માળ અને એક બેસમેન્ટમાં ફેલાયેલો છે તથા એક ભવ્ય અને આકર્ષક શોપિંગ અનુભવનું વચન આપે છે. તેના વસ્ત્રો દ્વારા ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવાના વારસા સાથે, પનઘટનો સુરત સ્ટોર એક વૈભવશાળી સ્વર્ગ બનવા માટે તૈયાર છે જ્યાં પરંપરાગત અને સમકાલીન ફેશન સાહજિક રીતે એકીકૃત થાય છે અને પેટ્રન્સને શ્રેષ્ઠ ભારતીય લાવણ્યનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે.

આધુનિક અને પરંપરાગત સૌંદર્ય શાસ્ત્રને સાહજિક રીતે સંમિશ્રણ કરવા માટે પ્રસિદ્ધ પનઘટ કલેક્શન તેની સમૃદ્ધિને સ્ટોરની આર્કિટેક્ચરલ ડિઝાઈન સુધી વિસ્તરે છે, જે તેની રચનાના દરેક પાસાંમાં પોતાને પ્રગટ કરે છે. તેની અંદરનું સ્ટ્રક્ચર મોહક મહેરાબ અને ઝીણવટપૂર્વક તૈયાર કરાયેલા થ્રીડી તત્વોથી શણગારવામાં આવ્યું છે, જે સ્ટોરના સ્થાપત્ય વૈભવને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. સ્ટોરનો બહારનો ભાગ કાલાતીત લાવણ્ય પ્રત્યે બ્રાન્ડના અતૂટ સમર્પણને ભવ્ય રીતે પ્રતિબિંબિત કરે છે, જે પ્રથમ દ્રષ્ટિએ ખરેખર ભવ્ય લાગે છે. આ ઉપરાંત, પસંદગીની કલર પેલેટ એ સમકાલીન અને શાસ્ત્રીય તત્વોનું સુમેળભર્યું મિશ્રણ છે, જેમાં મશરૂમ ટોન દર્શાવવામાં આવ્યા છે જે જગ્યાને ક્લાસિક એથરિયાલિટીની ભાવનાથી પ્રભાવિત કરે છે, જે રસ્ટિક ગોલ્ડના એસેન્ટ્સ દ્વારા સુંદર રીતે પૂરક છે. આ કલાત્મક જોડાણ એક ઉષ્માપૂર્ણ રીતે આમંત્રિતભર્યું અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવો માહોલ બનાવે છે જે મુલાકાતીઓને ઉત્કૃષ્ટ ડિઝાઇનની દુનિયામાં લઈ જાય છે.

આ સ્ટોરના લોન્ચ અંગે પનઘટના સ્થાપક નિર્મલ સરાફે જણાવ્યું હતું કે, “સુરત એ ભારતના સૌથી ગતિશીલ શહેરોમાંનું એક છે અને તેના ઝડપી વિકાસ સાથે, આ સ્ટોરનું લોન્ચિંગ અમારી સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. અમે અમારા ગ્રાહકોની વિકસતી રૂચિને સ્વીકારીને ભારતીય ફેશનની સમૃદ્ધ પરંપરાઓનું જતન કરીએ છીએ તેવી અમારી પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે. અમે સુરતમાં પનઘટનો વારસો અને કલાત્મકતા લાવવા માટે રોમાંચિત છીએ અને અમે દરેકને અમારા કલેક્શનના જાદુનો અનુભવ કરવા આમંત્રિત કરીએ છીએ.”

પનઘટનો સુરત સ્ટોર ભારતમાં બ્રાન્ડના ચોથા આઉટલેટનું પ્રતિનિધિત્વ કરે છે, જે કોલકાતા અને જયપુરમાં તેની સમૃદ્ધ હાજરી ધરાવે છે. લગભગ અઢી દાયકા સુધી ફેલાયેલા વારસા સાથે, પનઘટના મૂળ કલકત્તામાં રહેલા છે, જ્યાં તેની ભરતકામની કારીગરીમાં તેની કુશળતાને સન્માનિત કરવામાં આવી હતી. પનઘટ શરૂઆતમાં સાડીઓમાં વિશેષતા ધરાવતો હતો અને બાદમાં તે લહેંગા અને ગાઉન સહિત લગ્નના પોશાકની વિવિધ શ્રેણીને સમાવવા માટે વર્ષોથી વિકસિત થયો છે.

એક્ટિવ રિટેલમાં પનઘટનો પ્રવેશ ચાર વર્ષ પહેલાં કલકત્તામાં તેમના ફ્લેગશિપ સ્ટોરની સ્થાપના સાથે શરૂ થયો હતો. ઉદ્યોગમાં 25 વર્ષનો અનુભવ ધરાવતા સ્વપ્નદ્રષ્ટા શ્રી નિર્મલ સરાફ દ્વારા સ્થપાયેલી બ્રાન્ડની સફરનું સુકાન પાછળથી તેમના ભાઈ પશુપતિ સરાફ અને તેમના પુત્ર આનંદ સરાફે સંભાળ્યું હતું અને આ વારસાને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો.

પનઘટ પુરૂષો અને મહિલાઓ માટે એક ઉત્કૃષ્ટ કલેક્શન ઓફર કરે છે. તે ભારતીય એથનિક વેરની ભવ્ય શ્રેણી રજૂ કરે છે જે પરંપરાગત, આધુનિક અને ફ્યુઝન સ્ટાઈલ્સને સરળ રીતે જોડે છે. બ્રાન્ડનું મુખ્ય ધ્યાન લગ્નના પોશાક, ઉત્સવના પહેરવેશ અને પાર્ટીવેર પર છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક પ્રસંગ ભવ્ય ફેશન પસંદગીઓથી યાદગાર બને. 

બંગાળની કલાત્મક પરંપરાઓથી ઊંડેથી પ્રભાવિત હેરિટેજ એમ્બ્રોઇડરી ટેકનિકમાં મૂળ ધરાવતો તેનો અનોખો સેલિંગ પોઈન્ટ પનઘટને બધાથી અલગ પાડે છે. યુવા ભારતીય નવવધૂઓની વિકસતી પસંદગીઓને પૂરી કરવા માટે વાઇબ્રન્ટ પિંક, ફ્યુશિયા પિંક અને એલિગન્ટ બેઇઝ સહિતની કલર પૅલેટનો વિશાળ સ્પેક્ટ્રમ ઑફર કરીને પનઘટે જૂનવાણી બંધનોને તોડીને પોતાનું આગવું નામ બનાવ્યું છે. પનઘટ સરળ રીતે આ સમકાલીન રંગોને જટિલ ભરતકામ સાથે ભેળવે છે, જે આધુનિક ભારતીય સૌંદર્યને વ્યક્ત કરે તેવા મોહક ફ્યુઝન વસ્ત્રો બનાવે છે.

Back To Top