Flash Story
શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત
અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી
સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં

અમદાવાદ, ઓગસ્ટ 28: સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ ભ્રહ્મભટ્ટ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને અત્યાર સુધી તેમના દ્વારા અગણિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમના સન્માનમાં તેમના જન્મ દિન નિમિત્તે  27 ઓગસ્ટના દિવસને નેશનલ ઇમ્પેક્ટ ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવશે.

તેમણે સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા નશા મુક્તિની જાગૃતિ લાવવા માટે મેરેથોન જેવી પ્રવૃત્તિઓની આગવી પહેલ કરી છે. તેવી જ રીતે હેરિટેજ વૉક દ્વારા તેમણે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે જાગૃતિ ફેલાવી હતી. અને સ્ટાર્ટઅપ ફેસ્ટ દ્વારા નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ સાથે જ ભોજન વિતરણ, જરૂરિયાતમંદોને શિક્ષણ, અને કુશળતા નિર્માણ જેવા મિશન દ્વારા ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમની આ કામગીરીઅમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રુપ એવા શિલ્પ ગ્રુપના મુખ્ય ઓપરેટિંગ ઓફિસર તરીકેની ભૂમિકા સુધી વિસ્તરી છે.

નેશનલ ઇમ્પેક્ટ ડે ના અવસરે સમાજ સેવા પર ભાર મુકવામાં આવશે, જ્યાં નાગરિકોને સમાજમાં સ્વયંસેવક તરીકે સેવા આપવાનો અવસર મળશે તે સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આદાન-પ્રદાનના ક્ષેત્રમાં શિક્ષણ દ્વારા માર્ગદર્શન, સંસાધનોનું દાન, અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય સેવા અને માનસિક સુખાકારીની દિશામાં આગળ કાર્ય કરવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સ, યુવા, અને કુશળતા સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર પણ સક્રિયતાથી કાર્ય કરવામાં આવશે.

સ્નેહલબેનના નેતૃત્વ હેઠળ સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા કાર્યોના કારણે અનેક સમગ્ર દેશમાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજ માટે તેમના દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોએ અનેક સંસ્થાઓ અને યુવાનોને પ્રેરિત કર્યા છે. ચાલો, આપણે સાથે મળીને એક સકારાત્મક પરિવર્તન લાવીએ અને તમામ માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

Back To Top