Flash Story
અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી
સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ
અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું

અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી

આ વર્ષે શરદ રાત્રિ 2025 માં બે યાદગાર રાત્રિઓ ઉજવાશે – આરંભ અને અનંત

અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ સપ્ટેમ્બર: લાંબા સમયથી રાહ જોવાતી આ શરદ રાત્રિ, અમદાવાદની નવરાત્રિમાં એક અનોખી, માત્ર આમંત્રણથી યોજાતી ગરબા ઉજવણી છે. પરંપરાગત ગરબા સાથે સૌંદર્ય, ભક્તિ અને વૈભવનો અનુભવ કરાવવાનું આ ત્રીજું વર્ષ છે.

બે ખાસ રાત્રિઓ

આરંભ – નવરાત્રિની પહેલી રાત્રિ

  • ઉજવણીનો આરંભ પવિત્રવિધિ અને આદિશક્તિના આહ્વાનથી થશે.

  • કાશી વિશ્વનાથના મુખ્ય પૂજારી તથા પાંચ મહિલા પૂજારીઓની ઉપસ્થિતિમાં 501 મહેમાનો ભાગ લેશે.

  • આ વર્ષે થીમ રહેશે લાલ અને આઇવરી – જે પવિત્રતા અને ભક્તિનું પ્રતિક છે.

  • સાંજે 108 ગરબી, શ્રી યંત્રની સ્થાપના, સાત્વિક ભોજન અને નંગા પગે જ કરાતા ગરબા જેવા પરંપરાગત તત્વો રહેશે.

અનંત – શરદ પૂનમની રાત્રિ

  • ઉત્સવનું સમાપન શરદ પૂનમના ચાંદની તળે થશે.

  • થીમ રહેશે ચંદ્રની 16 કલાઓ પર આધારિત.

  • પૂર્ણિમાની રાત્રે રાસ-ગરબા, ચંદ્રપ્રકાશ હેઠળ ધ્યાન અને દૂધ-પોહાની વિધિ સાથે અનોખો અનુભવ મળશે.

શરદ રાત્રિ કેમ ખાસ?

  • માત્ર આમંત્રણથી – પસંદ કરેલા મહેમાનો માટે જ

  • પરંપરાગત આધાર – વૈદિક વિધિઓ અને પવિત્રવિધિઓ

  • સંપૂર્ણ અનુભવ – વેલેટ પાર્કિંગ, સાત્વિક ભોજન, સંસ્કૃતિક કાર્યક્રમો

  • પ્રસાદ – આરંભે અંબાજી શક્તિ પીઠનો પ્રસાદ અને અનંતે સોમનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ

  • સમુદાય એકતા – ગુજરાતના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવું

આયોજકનો સંદેશ

“શરદ રાત્રિ એ મા અંબાની સાચી ભક્તિ અને સંસ્કૃતિને ઉજવવાનો એક પ્રયાસ છે. મહેમાનોને ઘર જેવી ઉષ્મા અને પરંપરાગત અનુભવ આપવો એ અમારો હેતુ છે,” એમ આયોજક અને ક્યુરેટર શ્રુતિ ચતુર્વેદી કહે છે.

આ કાર્યક્રમમાં નવરાત્રિની પરંપરાઓ સાથે ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું ખાસ સંગમ જોવા મળશે.

Back To Top